ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કા માટે પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જોકે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ભાજપ અને કોંગ્રેસનાં સુચિત રોડ-શો અને કોર્નર મિટીંગને મંજૂરી આપવામાં આવી નથી. પોલીસ કમિશનરે ટ્રાફિક અને કાનુન વ્યવસ્થાનાં કારણે મંજૂરી આપી નથી.
કોંગ્રેસ દ્વારા જગન્નાથ મંદિર થી અસારવા મેમ્કો સર્કલ સુધી રેલી યોજાવાની હતી. જ્યારે ભાજપ દ્વારા ધરણીદર દેરાસરથી બાપુનગર સુધી રેલી યોજાવાની હતી. ત્યારે હવે પોલીસ દ્વારા આ રેલીને મંજૂરી આપવામાં આવી નથી.