અમદાવાદમાં રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર છોડયા શબ્દોનાં બાણ

અમદાવાદમાં રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર છોડયા શબ્દોનાં બાણ
New Update

ગુજરાતમાં બીજા તબક્કાનાં ચૂંટણી પ્રચારનાં અંતિમ દિવસે કોંગ્રેસ અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધીએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર શબ્દોનાં બાણ છોડયા હતા.

અમદાવાદમાં રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે પીએમ મોદી, રૂપાણીએ વન સાઈડેડ ડેવલોપમેન્ટ કર્યુ છે, લોકોને મળ્યા બાદ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યુ હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

વધુમાં રાહુલે બીજેપી આ ચૂંટણીમાં સ્થિતિ જાળવી નથી શકી , પહેલા પીએમ મોદી ભ્રષ્ટાચારની વાતો કરતા હતા, રફાલ ડીલ સામે આવતા હવે ભ્રષ્ટાચારની વાત નથી કરતા, કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં ચૂંટણી જીતશે તેવો આશાવાદ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article