અમદાવાદમાં હાર્દિક પટેલનાં રોડ શો દરમિયાન પથ્થરમારાની ઘટના થી દોડધામ મચી

New Update
અમદાવાદમાં હાર્દિક પટેલનાં રોડ શો દરમિયાન પથ્થરમારાની ઘટના થી દોડધામ મચી

અમદાવાદનાં બાપુનગરમાં હાર્દિક પટેલનાં રોડ શો દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી, જેના કારણે દોડધામ મચી ગઈ હતી.

પાસ નેતા હાર્દિક પટેલે અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ રેલી બાપુનગર માંથી પસાર થઈ તે દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી, તેથી ભાજપ અને પાસનાં કાર્યકરો સામસામે આવી ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ભાજપ તેમજ કોંગ્રેસ અને હાર્દિકને રોડ શો માટેની મંજૂરી મળી નહોતી, તેમછતાં મંજૂરી વગર હાર્દિકે રોડ શો યોજ્યો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

Latest Stories