અમિત શાહ ત્રણ, સ્મૃતિ ઈરાની પાંચ જાહેર સભાઓને સંબોધશે

New Update
અમિત શાહ ત્રણ, સ્મૃતિ ઈરાની પાંચ જાહેર સભાઓને સંબોધશે

ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ સૌરાષ્ટ્રમાં ત્રણ સભાને સંબોધશે. તેમજ કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની પણ પાંચ સભાને સંબોધશે.

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તારીખ 1 ડિસેમ્બરનાં રોજ સૌરાષ્ટ્રના જુદા જુદા વિધાનસભાના ક્ષેત્રોમાં જશે. તેઓ બપોરે 1 વાગ્યે કોડીનારમાં જાહેરસભા સંબોધશે. સાંજે 4 વાગ્યે ટાવર ગ્રાઉન્ડ, ટાવર ચોક માંગરોળ ખાતે તેમજ સાંજે 6:30 વાગ્યે વેરાવળનાં ટાવર ચોક ખાતે જાહેર સભાને સંબોધશે.

કેન્દ્રનાં માહિતી પ્રસારણ અને ટેક્ષ્ટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની પણ વિરમગામમાં ભાગ્યોદય હોસ્પિટલ ખાતે શુક્રવારે સવારે 11- 15 વાગ્યે ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે. તેઓ ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે.

બપોરે 3 વાગ્યે આણંદ ખાતે વિદ્યાનગર રોડ ખાતે જાહેર સભા કરશે. સાંજે પાંચ વાગ્યે નડિયાદમાં તેમજ સાંજે 7 : 30 વાગ્યે અમદાવાદનાં અસારવા તેમજ શાહિબાગ ખાતે ઘેવર સર્કલ ખાતે જાહેર સભાને સંબોધન કરશે.

Latest Stories