અર્જુન-પરિણીતી આગામી ફિલ્મ માટે વિશ્વયાત્રા કરશે

અર્જુન-પરિણીતી આગામી ફિલ્મ માટે વિશ્વયાત્રા કરશે
New Update

પોતાની પહેલી ફિલ્મ ઇશ્કઝાદે સાથે કર્યા બાદ લગભગ છ વર્ષ બાદ અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી પરિણીતી ચોપરા નિર્માતા – દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહની આગામી ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડમાં ફરી એકવાર સાથે જોવા મળવાના છે.

આ જોડી ફિલ્મ સંદીપ 2 પિંકી ફરારમાં પણ એકબીજા સાથે સિલ્વર સ્ક્રીન પર રોમાન્સ કરતા દર્શકો સમક્ષ રજૂ થવાના છે. અર્જુન અને પરી અભિનીત ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડ ફિલ્મ એક રસપ્રદ પ્રવાસ પર બનાવવામાં આવી છે. જેનું શૂટિંગ આ મહિનાથી શરૂ થઈ જશે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ, યુનાઇટેડ કિંગ્ડમ, પંજાબમાં થવાનું છે.

ફિલ્મની સ્ટોરી અનુસાર ફિલ્મમાં અડધી દુનિયા દર્શકોને જોવા મળવાની છે. સ્ટોરીની શરૂઆત પંજાબના લુધિયાણા શહેરથી થશે અને ત્યારબાદ ફિલ્મના લોકેશન ઢાકા, બાંગ્લાદેશ, બેલ્જિયમ, બ્રેસલ્સ, લંડન, બ્રિટન, મુંબઈમાં કેટલાક દ્રશ્યો ફિલ્માંકન કરાશે. ફિલ્મની સ્ક્રિપ્ટ અનુસાર મોટા ભાગે આ ફિલ્મમાં પ્રવાસ સામેલ થયો છે એમ વિપુલ શાહે જણાવ્યુ હતુ.

Here are a few more articles:
Read the Next Article