આજે વી કે સિંહ 38 ભારતીયોના અવશેષો લઈને ભારત આવશે 

New Update
આજે વી કે સિંહ 38 ભારતીયોના અવશેષો લઈને ભારત આવશે 

ઈરાકનાં મોસુલમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) દ્વારા મરી ગયેલા ભારતીય નાગરીકોનાં મૃતદેહ લેવા માટે વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી કે સિંહ આજે મોડી રાત સુધીમાં ભારત પહોંચશે ,તેવી જાણકારી મળી હતી.

publive-image

વી કે સિંહ રવિવારે જ ઈરાક જવા માટે રવાના થઈ ગયા હતાં. સિંહે જતા પહેલા જણાવ્યું હતું કે ૨૦૧૪માં મોસુલ પર કબ્જો કર્યો ત્યારબાદ ૩૯ ભારતીયોની હત્યા કરી દેવાઈ હતી. ૩૯માંથી એક ભારતીય નાગરીકની ઓળખ નહીં થઈ શકી હોવાનાં કારણે ફક્ત ૩૮ ભારતીય નાગરીકોનાં મૃતદેહો જ ભારત લાવવામાં આ‌‌વશે.

વી કે સિંહ ઈરાકથી પરત ફર્યા બાદ સૌપ્રથમ પંજાબનાં અમૃતસર, તેના પછી કોલકાતા અને બિહારનાં પટણામાં પરિવારજનોને આ અવશેષો સોંપશે.

Latest Stories