કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લીધી અક્ષરધામ મંદિરની મુલાકાત

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લીધી અક્ષરધામ મંદિરની મુલાકાત
New Update

કોંગ્રેસની નવસર્જન યાત્રામાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસ ગુજરાતનાં પ્રવાસે આવી પહોંચ્યા છે.

રાહુલ ગાંધી અમદાવાદનાં એરપોર્ટ પર આવ્યા ત્યારે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓએ તેમનુ સ્વાગત કર્યુ હતુ.

રાહુલ ગાંધીએ ગાંધીનગરનાં અક્ષરધામ મંદિરની મુલાકત લીધી હતી, અને ભગવાન સ્વામિનારાયણનાં દર્શન પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે અક્ષરધામ મંદિરની રજતજ્યંતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, પીએમ મોદી બાદ રાહુલ ગાંધીએ અક્ષરધામ મંદિરની મુલાકત લીધી હતી.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article