/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/26215039/7-e1601137523884.jpg)
ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1417 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને કોરોનાને કારણે વધુ 13 દર્દીના મોત થયા છે. જ્યારે રાજ્યમાં આજે 1419 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,31,808 પર પહોંચી છે.જ્યારે રાજ્યમાં કુલ મુત્યુઆંક 3409 થયો છે.
ગુજરાત રાજ્યમાં આજે 1417 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 180, અમદાવાદ કોર્પોરેશનમાં 175, સુરતમા 117, રાજકોટ કોર્પોરેશનમાં 110, વડોદરા કોર્પોરેશનમાં 95, જામનગર કોર્પોરેશનમાં 89, રાજકોટમાં 58, મહેસાણામાં 48, કચ્છમાં 42, વડોદરામાં 41, બનાસકાંઠામાં 27, પાટણમાં 35, અમરેલીમાં 32, પંચમહાલમાં 25, મોરબીમાં 21, જામનગરમાં 21, અમદાવાદમાં 20 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 13 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથમાં 1, પાટણમાં 1, સુરતમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં હાલ 16,490 એક્ટિવ કેસ છે, જ્યારે 1,11,909 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 82 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,408 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.90 ટકા છે.