ખેડૂતોનાં વિરોધ મામલે નીતિન પટેલે આપ્યું ચોંકાવનારુ નિવેદન

ખેડૂતોનાં વિરોધ મામલે નીતિન પટેલે આપ્યું ચોંકાવનારુ નિવેદન
New Update

નીતિન પેટેલનો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલુ આંદોલન રાજકારણથી પ્રેરિત હોય તે તરફ ઇશારો

ગુજરાતમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, “રસ્તા પર શાકભાજી ખેડૂત નથી ફેંકી રહ્યો, પરંતુ કોઇ રાજકીય વ્યક્તિ રાજકારણ કરી રહ્યો છે.” આ સાથે જ નીતિન પેટેલે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલુ આંદોલન રાજકારણથી પ્રેરિત હોય તે તરફ ઇશારો કર્યો હતો.

નીતિન પટેલે રસ્તા પર શાકભાજી ફેંકીને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલુ આંદોલન રાજકીય વ્યક્તિ દ્વારા થતુ હોવાની સાથે સાથે સાબરકાંઠામાં ખેડૂત દ્વારા કરવામાં આવેલી આત્મહત્યા મુદ્દે પણ પ્રતિક્રિયા આપી છે. નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, “આ કોઇ નાના ખેડૂત નથી. ખેતી નિષ્ફળ જવાના કારણે આ ખેડૂતે આત્મહત્યા નથી કરી, પરંતુ કોઇ બીજા કારણે આત્મહત્યા કરી છે.”

ઉલ્લેખનીય છે કે ખેડૂતોને પોતાના ઉત્પાદનનાં યોગ્ય ભાવ ના મળવાને કારણે અને સરકરાની ખેડૂત વિરોધી નીતિને કારણે આંદોલન કરી રહ્યા છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article