ગુજરાત જીતવા નીકળ્યા હતા તે અમેઠી પણ હારી ગયા : સીએમ યોગી

CM યોગી રામ મંદિર પર બોલ્યા: ‘દિવાળીના દિવસે સૌ પ્રગટાવો રામનો એક દીવો’
New Update

ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

આ અંગે સીએમ યોગીએ જણાવ્યુ હતુ કે પીએમ નરેન્દ્ર મોદીનાં વિકાસ વિઝન અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રણનીતિનાં અનુશરણના કારણે વિજય થયો છે. તેમણે આ અવસર પર કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું કે આ ચૂંટણીનાં પરિણામથી સૌની આંખો ખુલશે અને અહીં કોંગ્રેસનાં સુપડા સાફ થઈ ગયા છે. વધુમાં તેઓએ જે ગુજરાત જીતવા નિકળ્યા હતા તે અમેઠીમાં પણ હારી ગયા હોવાનો કટાક્ષ કર્યો હતો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિગમ ચૂંટણીની પ્રથમ પરીક્ષા ઉતીર્ણ થયા છે.

જ્યારે ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડેયએ કહ્યું કે ભાજપને સતત સારા નિર્ણયો લેવાના કારણે આ ચૂંટણીમાં જીત મળી છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article