/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/12213843/images.jpg)
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1152 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 18 દર્દીઓના મોત થયા છે. જ્યારે 977 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.આ સાથે રાજ્યમાં કુલ કોરોના કેસનો આંકડો 74390 પર પોહચ્યો છે. અને કુલ મુત્યુઆંક 2715 થયો છે.
રાજ્યમાં આજે 1152 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદમાં -159, સુરત-272,વડોદરા-120, ગાંધીનગર-30,ભાવનગર-46, બનાસકાંઠા-8, આણંદ-13,રાજકોટ-95,અરવલ્લી-4, મહેસાણા-32,પંચમહાલ-34,બોટાદ-6,મહીસાગર-2,ખેડા-16,પાટણ-10,જામનગર-38,ભરુચ-25, સાબરકાંઠા-11, ગીર સોમનાથ-27,દાહોદ-21,છોટા ઉદેપુર -2, કચ્છ-27 ,નર્મદા-11, દેવભૂમિ દ્વારકા -1, વલસાડ-18, નવસારી-13, જુનાગઢ-19,પોરબંદર-3,સુરેન્દ્રનગર-27, મોરબી-21,તાપી-6,અમરેલી-35 કેસ નોધાયા છે.
રાજ્યમાં આજે 18 દર્દીઓના કોરોના કારણે મોત થયા છે. રાજકોટમાં - 6, અમદાવાદમાં - 4, સુરતમાં- 5,વડોદરા-2, તાપી -1 દર્દીનુ મોત થયું છે.
રાજ્યમાં હાલ 14,282 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 57,393 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,207 લોકો સ્ટેબલ છે.