ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ મંગળવારે ગાંધીનગરમાં યોજાવવાનો છે, અને તેના માટે તડામાર તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.
શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,19 રાજ્યના મુખ્યમંત્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાથી ગાંધીનગરને અભેદ કિલ્લામાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે અને પાટનગરમાં આવતા-જતા દરેક વાહન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
શપથવિધિ સમારોહની પૂર્વ તૈયારીનાં ભાગરૃપે રવિવારે ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ્ ખાતે વિશિષ્ટ બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં શપથવિધિ સમારોહની તૈયારીની બ્લ્યૂપ્રિન્ટને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.