/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/14214806/gettyimages-1205778418-e1606489008829.jpg)
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજયમાં આજે કોરોનાના વધુ 1120 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને આજે વધુ 20 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 959 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 78,783 પર પહોંચી છે. અને કુલ મૃત્યુઆંક 2787 થયો.
રાજ્યમાં આજે 1120 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 159, અમદાવાદ કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 99, સુરતમાં 69, રાજકોટ કોર્પોરેશનમાં 65, જામનગર કોર્પોરેશનમાં 52, પંચમહાલમાં 45, રાજકોટમાં 34, કચ્છમાં 31, ભરૂચમાં 30, ભાવનગર કોર્પોરેશનમાં 27, દાહોદમાં 26, અમરેલીમાં 25, મહેસાણામાં 22 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે વધુ 20 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 4, ભાવનગરમાં 2, મોરબીમાં 2, ગીર સોમનાથમાં 1, કચ્છમાં 1, પાટણમા 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મોત થયું છે.
રાજ્યમાં હાલ 14,500 એક્ટિવ કેસ છે, જ્યારે 61,496 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 82 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,418 લોકો સ્ટેબલ છે.અને 829 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.