ગુજરાતમાં રાહુલ ગાંધીનાં પ્રવાસ થી ભાજપ ભયમાં : સચિન પાયલોટ

ગુજરાતમાં રાહુલ ગાંધીનાં પ્રવાસ થી ભાજપ ભયમાં : સચિન પાયલોટ
New Update

ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસી નેતા સચિન પાયલટે અમદાવાદમાં સભામાં સંબોધન કર્યુ હતુ. સચિન પાયલટે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. અને ગુજરાતમાં સમાજોનું શોષણ થાય છે તેમ કહ્યુ હતુ.

ગુજરાતમાં યુવાઓને આકર્ષવા માટે કોંગ્રેસનાં યુવા નેતા સચિન પાયલોટ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે. અમદાવાદમાં સચિન પાયલટે સંબોધનમાં જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધી જે રીતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે તેથી ભાજપમાં ભયનો માહોલ જોવા મળે છે. જીએસટી વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે અમારી કલ્પના મુજબનો આ જીએસટી નથી. કોંગ્રેસ સત્તામાં આવશે તો જીએસટીના મામલે સૌ પ્રથમ કાર્યવાહી કરશે.

સચિન પાયલોટે હાર્દિક પટેલનાં કથિત વીડિયો વાયરલ થવા અંગે નિવેદન આપ્યુ હતુ કે વ્યક્તિગત આક્ષેપો કરીને કેટલાક લોકો પોતાનાં કામોને છુપાવે છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article