ગ્રાસીમ કંપનીએ યોજ્યો સલાદરા ગામે નેત્ર નિદાન કેમ્પ

New Update
ગ્રાસીમ કંપનીએ યોજ્યો સલાદરા ગામે નેત્ર નિદાન કેમ્પ

ગ્રાસીમ કંપનીના સહયોગથી સલાદરા ગામે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આસપાસ ગામના ૨૪૬ જેટલા દર્દીઓનું આંખ નિદાન કરવામાં આવ્યુ હતુ.

વિલાયત સ્થિત ગ્રાસીમ કંપનીએ આસપાસના ગામોમાં સામાજિક સ્તરને ઊંચુ લાવવાનો લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યો છે.કંપનીના સી.એસ.આર વિભાગે સલાદરા ગામે નેત્ર નિદાન કેમ્પનુ આયોજન કર્યું હતુ. સેવારૂરલ ઝગડીયાના નિષ્ણાત ડોક્ટરની ટીમે ૨૪૬ દર્દીઓની આંખ તપાસ કરી હતી.૧૯૬ દર્દીઓને ચશ્મા અને ૫૫ દર્દીઓને આંખની દવા આપવામાં આવી હતી. જ્યારે ૧૦ દર્દીઓના મોતીયાનું ઓપરેશન કરવા સેવારૂરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.ગ્રાસીમ દ્ધારા વિના મૂલ્યે સેવા આપવા બદલ સરપંચ સહિતના ગામલોકોએ કંપની સંચાલકોનો આભાર માન્યો હતો.સી.એસ.આર પ્રવૃત્તિ કરતા દિલીપભાઈ કોરડીયા અને મિતેશભાઈ સુરતીએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Latest Stories