જાણો, જેના માનમાં શિક્ષકદિન ઊજવાય છે તેવા ભારતના મહાન શિક્ષકની જીવન સફર

New Update
જાણો, જેના માનમાં શિક્ષકદિન ઊજવાય છે તેવા ભારતના મહાન શિક્ષકની જીવન સફર

ડૉ. રાધાકૃષ્ણનનો જન્મ ૫મી સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ ચેન્નાઈથી ૬૪ કિલોમીટર દૂર આવેલા તમિલનાડુના તિરુતની ગામમાં થયો હતો. ૧૯૦૮માં તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવવા એક સંશોધન લેખ લખ્યો. જે સમયે તેમની વય ફક્ત ૨૦ વર્ષ હતી. જ્ઞાનપિપાસુ રાધાકૃષ્ણએ પોતાની તીવ્ર જિજ્ઞાસાઓને સંતોષવા હિન્દી, વેદ અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૧૬માં મદ્રાસ રેસિડન્સી કૉલેજમાં તેઓ સહાયક પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. થોડાં વર્ષો તેમણે પ્રાધ્યાપક તરીકે પણ ફરજ બજાવી.વર્ષ ૧૯૦૯માં માત્ર ૨૧ વર્ષની નાની વયે તેમણે ચેન્નાઈની પ્રેસિડેન્ટ કૉલેજમાં જુનિયર લેક્ચરર તરીકે તત્ત્વજ્ઞાન ભણાવવાનું શરૂ કરી દીધું હતું.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ઘણી યુનિવર્સિટીઓએ માનદ્ ડિગ્રી આપી તેમનું સન્માન કર્યું. ૧૯૩૧થી ૧૯૩૬ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશની વાલ્ટેયર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર પદે રહ્યા. ૧૯૩૬થી ૧૯૫૨ સુધી તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી. ૧૯૩૯થી ૧૯૪૮ દરમિયાન બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ચાન્સેલર પદે અને ૧૯૩૫થી ૧૯૬૨ દરમિયાન દિલ્હી યુનિવર્સિટીના ચાન્સેલર રહ્યા.

જ્યારે ૧૯૪૦માં બ્રિટિશ એકેડમીમાં પ્રથમ ભારતીય તરીકે ચૂંટાયા. તેમજ ૧૯૪૮માં ભારતના પ્રતિનિધિ તરીકે યુનેસ્કોમાં સેવા આપી. સ્વતંત્રતા બાદ રશિયામાં ભારતીય રાજદૂત તરીકે ફરજ બજાવી અને સાબિત કરી આપ્યું કે એક શિક્ષણશાસ્ત્રી અને તત્ત્વચિંતક રાજનૈતિક ફરજો પણ સફળતાપૂર્વક અદા કરી શકે છે. ૧૯૫૨માં રશિયાથી પાછા ફર્યા બાદ તેમને ઉપરાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા.

તેમની સેવાઓ અને તેમના જ્ઞાનને સન્માનવા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા. ૭૯ વર્ષની વયે તેઓ પોતાના વતન મદ્રાસ પરત ફર્યા અને તેમણે તેમના જીવનનાં છેલ્લાં વર્ષો મદ્રાસના માયલાપોરમાં વિતાવ્યાં. ૮૭ વર્ષની ઉંમરે ૧૭ સપ્ટેમ્બર, ૧૯૭૫ના રોજ તેમનું અવસાન થયું. તેમનો સરળ સ્વભાવ, દૃઢ વિચારો અને શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાનને કારણે આજે પણ આપણે તેમને યાદ કરીએ છીએ અને તેમના જન્મદિન ૫ સપ્ટેમ્બરને દર વર્ષે શિક્ષક દિન તરીકે ઊજવીએ છે.

Read the Next Article

હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી, 69 લોકોના મોત, CM સુખુએ કહ્યું- "ગૃહમંત્રી અમિત શાહ અમને સંપૂર્ણ મદદ કરશે"

સુખુએ કહ્યું કે હિમાચલમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ભારે વિનાશ થયો છે. તેમણે આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી, જેમણે રાજ્યને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

New Update
HIMACHAL CM

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ અને આફતોએ તબાહી મચાવી છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શુક્રવારે જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં 69 લોકોએ જીવ ગુમાવ્યા છે, 37 લોકો ગુમ છે અને 110 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત, રાજ્યમાં લગભગ 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. મુખ્યમંત્રીએ કહ્યું, 'વરસાદની શરૂઆતથી રસ્તાઓ, પાણી પ્રોજેક્ટ્સ, વીજળીના લાઇનો અને થાંભલાઓને ભારે નુકસાન થયું છે. વીજળીના થાંભલા ઉખડી ગયા છે, જેના કારણે વીજળી પુરવઠા પર ખરાબ અસર પડી છે.'

સુખુએ કહ્યું કે હિમાચલમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ભારે વિનાશ થયો છે. તેમણે આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી, જેમણે રાજ્યને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું, 'મેં આજે ગૃહમંત્રી સાથે વાત કરી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અમને સંપૂર્ણ સહયોગ આપશે. કેન્દ્રીય ટીમ પણ આજે હિમાચલ પહોંચી રહી છે જેથી નુકસાનનો અંદાજ લગાવી શકાય. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે રાજ્યમાં 14 સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ છે. તેમણે કહ્યું, 'અમે અભ્યાસ કરી રહ્યા છીએ કે વાદળ ફાટવાની ઘટનાઓ આટલી બધી કેમ બની રહી છે.'

મુખ્યમંત્રીએ માહિતી આપી કે શિમલાની એક બાગાયતી કોલેજમાં ફસાયેલા 92 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું, 'હિમાચલ પ્રદેશ સરકાર અસરગ્રસ્ત પરિવારો સાથે ઉભી છે. અમે નિર્ણય લીધો છે કે જે પરિવારોના ઘરોને નુકસાન થયું છે તેમને ભાડાના ઘરમાં રહેવા માટે 5,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.' તેમણે એમ પણ જણાવ્યું કે કેબિનેટ સભ્યો પરિસ્થિતિનો ખ્યાલ રાખવા માટે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં ચોમાસાના આ વિનાશથી વહીવટીતંત્ર માટે મોટો પડકાર ઉભો થયો છે.