જાણો દયાભાભી એ પોતાની દિકરીનુ નામ શુ રાખ્યુ, ક્યારે કરશે તારક મહેતા કા ઉલ્ટા ચશમામા રી એન્ટ્રી

New Update
જાણો દયાભાભી એ પોતાની દિકરીનુ નામ શુ રાખ્યુ, ક્યારે કરશે તારક મહેતા કા ઉલ્ટા ચશમામા રી એન્ટ્રી

સબ ટીવી ચેનલની લોકપ્રિય સિરિયયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશમા. ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશમાના દયાભાભી એટલે કે દિશા વાકાણી એ પોતાની દિકરીનુ નામ સ્તુતી રાખ્યા હોવાનુ સામે આવ્યુ છે. જી, હા વિશ્વસનિય સુત્રોનુ માનિયે તો તેની દિકરીનુ નામ સ્તુતી રાખ્યા હોવાનુ સામે આવ્યુ છે.

publive-image

સૌ કોઈ જાણે છે કે નવેમ્બર માસની 28 તારીખના રોજ મુંબઈની પવઈ હોસ્પિટલમા તેમણે એક દિકરીને જન્મ આપ્યો હતો. જે હાલ સાડા ત્રણ માસની થઈ ચુકી છે. ત્યારે દિશા વાકાણીએ પોતાની પુત્રીનુ નામ સ્તુતી રાખ્યાનુ સામે આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે દિકરીના જન્મ બાદ 21 જાન્યુઆરીના રોજ તેઓ પોતાની દિકરી અને પતિ સાથે જામનગરના નાગેશ્વર મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા. તો સાથો સાથ આ સમયે તેઓ એ વિશોતમાતાના પણ દર્શન કર્યા હતા. જે બાબતના ફોટો પણ સોશીયલ મિડિયામા વાઈરલ થયા હતા. ત્યારે સ્તુતિ શબ્દનો અર્થ જોઈએ તો પ્રાથના અને વખાણ બંને થાઈ છે.

publive-image

તો બિજી તરફ તારક મહેતા કા ઉલ્ટા ચશમાના દર્શકો પોતાના લાડલા એવા દયાભાભીને ફરી પાછા ટીવીના રૂપેરી પડદે જોવા પણ ઉત્સુક છે. ત્યારે દિશા વાકાણી ક્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશમામા ફરી પાછા દેખાશે તે જોવુ અતિ મહત્વનુ બનિ રહેશે.

Latest Stories