જાત-જાતનાં લોકો અને ભાત-ભાતનાં લોકોએ એટલો કાદવ ઉછાળ્યો છે કે હવે કમળ ખીલવાનું આસાન થઇ ગયુ છે, પીએમ નરેન્દ્ર મોદી

New Update
જાત-જાતનાં લોકો અને ભાત-ભાતનાં લોકોએ એટલો કાદવ ઉછાળ્યો છે કે હવે કમળ ખીલવાનું આસાન થઇ ગયુ છે, પીએમ નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી એક જ દિવસમાં કચ્છ, રાજકોટ, અમરેલીમાં જાહેરસભાઓ સંબોધી હતી. પીએમ મોદીએ કચ્છ આશાપુરા માતાનાં મઢથી પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. મા આશાપુરાની પૂજા અને આરતી કરી વડાપ્રધાન મંદિર પરિસરમાં ઉપસ્થિત લોકોને મળ્યા હતા.

ત્યારબાદ ભુજનાં સભાસ્થળ ખાતે ભાજપનાં અગ્રણી નેતાઓની ઉપસ્થિતીમાં પીએમ મોદીનું આગવી ઢબે સ્વાગત કરાયું હતુ. વડાપ્રધાનનું કચ્છી સાલ અને પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કચ્છી ભાષામાં કરી હતી. મોદીએ આ તકે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપ પર કિચડ ઉછાળનાર કોંગ્રેસનો આભાર માની કહ્યું હતુ કે કિચડ કમળને ખીલવામાં મદદ કરશે.વધુમાં તેઓએ જાત-જાતના લોકો અને ભાત-ભાતના લોકોએ એટલો કાદવ ઉછાળ્યો છે કે હવે કમળ ખીલવાનું આસાન થઇ ગયું છે. તેમજ કોંગ્રેસ વંશવાદની રાજનીતિ રમતુ હોવાનું જણાવ્યું હતુ.

ભુજ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસદણ ખાતે પણ ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે હુંકાર કર્યો હતો કે 2 મહિનાથી ગુજરાતમાં કોંગ્રેસે ચરિત્ર ગુમાવ્યું છે, કોંગ્રેસે ગુજરાતમાં 4 પાટીદાર CMને શાંતિથી બેસવા નથી દીધા.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories