જામનગર જિલ્લા કલેક્ટરે વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિને લઈ પત્રકાર પરિષદ યોજી

New Update
જામનગર જિલ્લા કલેક્ટરે વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિને લઈ પત્રકાર પરિષદ યોજી

જામનગર જિલ્લા કલેકટર રવિશંકરે વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિ ને લઈ પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદ માં જિલ્લા કલેક્ટરે લોકોને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પત્રકાર પરિષદ માં જિલ્લા કલેકટરે આગમચેતી ના ભાગરૂપે લેવામાં આવતા પગલાં અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ દરિયાકિનારા ના નીચાણ વાળા વિસ્તારોના 25 જેટલા ગામો ના અંદાજે 13900 જેટલા લોકોને સ્થાળાંતર કરવાની કામગીરી આવતી કાલથી શરૂ કરવામાં આવશે જામનગર સ્થિત સેનાની ત્રણેય પાંખ દ્વારા વાયુ વાવાઝોડા ને લઈને તંત્ર દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે અને કંટ્રોલરૂમ શરૂ કરાયા છે જેમાં નેવી ના 500 જવાનો અને ઇંડિયન આર્મી ની 7 ટિમ ને મદદ માટે ખડેપગે રાખવામા આવ્યા છે જ્યારે વાવાઝોડું અને વરસાદ પૂર્ણ થયા બાદ ફૂડ પેકેટ ડ્રોપ કરવા અને લોકોસુધી પહોંચાડવા માટે એરફોર્સ ની મદદ લેવામાં આવશે અને ફૂડપેકેટ બનાવવા અંતે કેટલીક સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે આ ઉપરાંત એનડીઆરએફ ની ટિમ પણ જિલ્લા કલેકટર ઓફિસ ખાતે પહોંચી ચૂકી છે જેમાં એનડીઆરએફ ના 28 જવાનો ને તેના સાધનો સાથે આપતી સમયે જરૂરિયાત સ્થળોએ પહોંચાડવામાં આવશે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.