New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/maxresdefault-8.jpg)
શ્રાવણ માસનો આજે 22મો દિવસ છે ત્યારે બીજી તરફ શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમનાથ ખાતે ભક્તોનું ઘોડા પુર ઉમટી પડ્યું હતું. કૃષ્ણ જન્માષ્ટમી અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનો અદભુત સંયોગ થયો છે. ત્યારે દેવાધિદેવ મહાદેવ ને પણ જન્માષ્ટમીના પાવન અવસરે સોમનાથ મહાદેવ ને શ્રી કૃષ્ણ જન્મોત્સવનો શણગાર કરવામાં આવ્યો હતો. તો સાથે જ ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિતે હરિહનીર ભૂમીમાં શ્રી સોમનાથ મહાદેવને દરબારી શૈલીનો પાઘ પહેરાવવામાં આવેલ જે અમદાવાદના એક ભાવિક દ્વારા વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો
Latest Stories