નડિયાદના પટેલ યુવકનું જોહાનિસબર્ગમાં માર્ગ અકસ્માતે મોત, પરિવારજનો શોકમાં

નડિયાદના પટેલ યુવકનું જોહાનિસબર્ગમાં માર્ગ અકસ્માતે મોત, પરિવારજનો શોકમાં
New Update

કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામનાં યુવકનું જોહાનિસબર્ગ ખાતે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. યુવકના માતા-પિતા વડોદરામાં સ્થાયી થયા હોવાથી લસુન્દ્રાથી તેમના સ્વજનો વડોદરા જવા રવાના થયા હતા.

publive-image

કઠલાલના લસુન્દ્રાના વતની અંકિત પટેલ છેલ્લા 3 વર્ષથી પત્ની સાથે આફ્રિકામાં સ્થાયી થયા હતા. બુધવારે અંકિત બાઇક લઇને જોહાનીસબર્ગના માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન અકસ્માતમાં અંકિતનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ લસુન્દ્રા ખાતે રહેતા સ્વજનોને થતાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. જ્યારે અંકિતનો પરિવાર લસુન્દ્રાથી વડોદરા સ્થાયી થયો હોવાથી સ્વજનો વડોદરા જવા રવાના થયા હતાં. હાલમાં જોહાનીસબર્ગ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article