નર્મદા ડેમના 23 દરવાજા ખોલી નદીમાં છોડાયું 6 લાખ કયુસેક પાણી

New Update
નર્મદા ડેમના 23 દરવાજા ખોલી નદીમાં છોડાયું 6 લાખ કયુસેક પાણી

મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી 4.5 લાખ કયુસેક પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમની સપાટી 136.22 મીટરે પહોંચી હતી. રુલ લેવલ જાળવી રાખવા માટે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 6 લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે.

ડેમમાંથી આવી રહેલા પાણીના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં ઝડપથી વધારો થઇ રહયો છે. ડેમમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતાં ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ બની ગયું છે.

ડેમના 23 દરવાજામાંથી વહી રહેલા પાણીના કારણે કેવડીયામાં અદભુત નજારો જોવા મળી રહયો છે. ભરૂચના કાંઠા વિસ્તારોમાં પણ પાણીના ભરાવાની શરૂઆત થઇ છે.

Latest Stories