નવસારીમાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભામાં કોંગ્રેસને આડે હાથ લીધી

New Update
નવસારીમાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભામાં કોંગ્રેસને આડે હાથ લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં ચૂંટણી સભાને સંબોધન કરીને કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી, પ્રાચી, પાલીતાણા બાદ સાંજનાં સમયે નવસારીનાં લુન્સીકુઇ મેદાનમાં જંગી જાહેરસભાને સંબોધી હતી. સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે દેશમાં ત્રણ ચૂંટણી ચાલી રહી છે, જેમાં ત્રણેયનાં પરિણામો નક્કી છે. એક ઉત્તરપ્રદેશ નગર નિગમ અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઝંડો ફરકવાનો છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખનું પરિણામ પણ નક્કી છે.

વધુમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસે ગુજરાત વિરોધી છે, અને કોંગ્રેસ બોખલાઈ ગઈ હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

Latest Stories