નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાને સંબોધશે

નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાને સંબોધશે
New Update

નવસારી જીલ્લાની ચાર વિધાનસભાઓ પર ભાજપનું કમળ ખીલવવા બુધવારનાં રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર અર્થે આવશે, અને જનસભાને સંબોધન કરશે.

પીએમ મોદીનાં આગમનને લઈને વહીવટી તંત્ર સાથે ભાજપનાં કાર્યકર્તાઓ પણ તૈયારીમાં જોતરાયા છે. સુરક્ષાને લઈને રેંજના 5 જીલ્લાની પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે.

જેમાં એક આઈજી, 9 એસપી, 17 ડીવાયએસપી સાથે લશ્કરીદળો અને અર્ધલશ્કરી દળોનો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે.

આ ઉપરાંત અંદાજીત ૩૦,000 લોકો બેસે એવી વ્યવસ્થા ભાજપા દ્વારા કરવામાં આવી છે.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article