નાણાં મંત્રાલય પરત મળવાનાં નીતિન પટેલે આપ્યા સંકેત

New Update
નાણાં મંત્રાલય પરત મળવાનાં નીતિન પટેલે આપ્યા સંકેત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની નારાજગી બાદ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે નાણાં મંત્રાલય પરત મળે તેવા સંકેત આપ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગી બાદ હાઈકમાન્ડે પણ મનાવવાનાં પ્રયાસો કર્યા હતા.

ખાતાની ફાળવણીને લઈને નીતિન પટેલ નારાજ થયા હતા. અને પટેલ પોતાના સાથી ધારાસભ્યો સાથે રાજીનામા આપી દેશે તેવી અટકળો પણ શરુ થઇ હતી.

જોકે નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધીને તેવો વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળશે તેમ જણાવ્યુ હતુ, અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ તેઓને યોગ્ય ખાતાની ફાળવણી અંગે આશ્વાસન આપ્યું છે અને બપોરનાં બે વાગ્યા સુધીમાં ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે તેમ તેઓએ જણાવ્યુ હતુ. વધુમાં નીતિન પટેલે નાણાં મંત્રાલય જ તેઓને પરત મળશે તેવા સંકેતો પણ આપ્યા હતા.

Latest Stories