નોટબંધીનો નિર્ણય વિનાશકારી હતો, પૂર્વ પીએમ મનમોહન સિંઘ

નોટબંધીનો નિર્ણય વિનાશકારી હતો, પૂર્વ પીએમ મનમોહન સિંઘ
New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રચાર માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ રાજ્યનાં પ્રવાસે આવ્યા છે.

આ પ્રસંગે તેઓએ અમદાવાદમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. અને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા મનમોહનસિંઘે નોટબંધી, GST, બુલેટ ટ્રેનને લઈને સરકારને ભીંસમાં લીધી હતી.

નોટબંધી વિશે મનમોહન સિંઘે કહ્યુ કે, નોટબંધીનો નિર્ણય વિનાશકારી નિર્ણય હતો. 8 નવેમ્બરનો દિવસ ભારત માટે કાળો દિવસ હતો.

વધુમાં મનમોહન સિંઘે જણાવ્યુ હતુ કે GST આવતા વેપારીઓને મોટુ નુકશાન થયુ છે અને વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળતો હોવાનું જણાવ્યુ હતુ.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article