પતિના મૃત્યુના 15 દિવસ બાદ સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કાઢી ગાઠિયાની રેકડી

New Update
પતિના મૃત્યુના 15 દિવસ બાદ સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કાઢી ગાઠિયાની રેકડી

14 મે એટેલે વર્લડ મધર્સ ડે. આ દિવસે દરેક પૂત્ર કે પૂત્રી તેની માતા પ્રત્યેની પોતાની ભાવનાને વ્યક્ત કરેછે. આમ, જૂવા જઈએ તો માતા પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કોઈ એક દિવસ હોઈ જ ના શકે. પરંતૂ સમયાનૂસાર બદલાઈ છે અભિવ્યક્તિની વ્યાખ્યા અને તેનૂ રૂપ. ત્યારે વર્લડ મધર્સ ડેના દિવસે જાણો એક માતા વિશે કે જેમણે પોતાની જાત મહેનતથી એકલા હાથે તેમની બે પૂત્રી અને એક દિકરાનૂ લાલન પાલન કર્યૂ તેમજ તેઓને ઉચ્ચ શિક્ષણ પણ અપાવ્યૂ. કનેકટ ગુજરાત સલામ કરે છે આવી માતાઓને કે જેમનામાં આ રીતનો જૂસ્સો અને સાહસ છે.

રીટા બેનના પતિ છેલ્લા છ વર્ષ થયા મૃત્યૂ પામ્યા છે. રીટા બહેને પોતાના પતિને ગૂમાવ્યાના 15 દિવસની અંદરજ પોતાના સંતાનોનૂ ભવિષ્યના બગ઼ડે તે માટે ગાઠીયાની રેકડી કાઢવાની શરૂ કરી હતી. રીટા બહેને કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યૂ હતૂ કે તેમના પતિનૂ અવસાન મે મહિનામાં થયૂ હતૂ. તો બીજી તરફ તેમના પતિના અવસાન બાદ 22 દિવસના ગાળામાં જ તેમના સંતાનોની સ્કૂલ અને કોલેજ શરૂ થતી હતી. આથી તેમના માટે યજ્ઞ પ્રશ્ન હતો કે તે પોતાના સંતાનોની સ્કૂલ અને કોલેજની ફિ કેવી રીતે ભરી શકે. આ માટે તેમણે પોતાના સગા વગાલાઓ પાસેથી આર્થિક મદદની અપેક્ષા રાખ્યા વગર પોતે જ આ આર્થિક કટોકટીને પહોંચી વળવા મહેનત કરવાનૂ નક્કિ કર્યૂ..

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં રીટા બહેને જણાવ્યૂ કે તેમના પતિના અવસાન થયાં બાદ તેમના પર બેવડી જવાબદારી આવી પડી હતી. તે છેલ્લા છ વર્ષો થી માતા અને પિતાની બેવડી જવાબદારી હોંસે હોંસે નિભાવે છે... તે પોતે ઈશ્વરનો આભાર પણ માને છે કે તેમના પર જે સંકટ આવ્યૂ હતૂ તે સંકટ સામે તેઓ ખૂબજ સારી રીતે લડ્યા તેમજ તેમના બાળકોની અંદર સંસ્કારોની સિંચન પણ કર્યૂ.

તો બીજી તરફ તેમના ત્રણ સંતાનો પૈકી મોટી દિકરીને રીટા બહેને ગાંઠીયાની રેકડી માંથી જ આર્થિક ઉપાર્જન કરી ધામધૂમથી સાસરે વળાવી છે. તો બાકીના બે સંતાનોની વાત કરીયે તો તેમાં એક દીકરી અને એક દીકરો છે. દિકરીનૂ નામ રાજવી છે જેને હાલમાંજ બિ.એસ.સી પૂરૂ કર્યૂ છે, અને આવતા વર્ષથી બિ.એડનો અભ્યાસ કરવાની છે. તો જે દિકરો છે તેમનૂ નામ લાલો છે જેને હાલમાંજ ધોરણ 10માંની પરિક્ષા આપી છે.

તો રીટા બહેનની બીજા નંબરની દિકરી કહેછે કે તેમની માતા રોજ સવારના ચાર વાગ્યે ઉઠી ગાંઠીયાનો લોટ અને સંભારો, દાળ, ભાત, શાક રોટલી તૈયાર કરે છે... જેમાં તે અને તેમનો ભાઈ પણ શક્ય હોઈ તેટલી મદદ કરે છે. સવારના ચાર વાગ્યે થી ઉઠેલા રીટા બહેન બપોરના બે વાગ્યે પોતાના ઘરે પરત ફરે છે અને ત્યારબાદ પોતાના સંતાનો માટે રસોઈ બનાવી તેને જમાડે છે. તેમજ રીટા બહેન પોતે સાક્ષર હોવાથી તેમના સંતાનોને પણ તેમના અભ્યાસમાં મદદ કરે છે. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યૂ કે પોતે સાક્ષર હોવાથી તેમને પોતાના જીવનમાં ખૂબ ફાયદો પહોચ્યો છે. તેથી તે સૌ કોઈને સાક્ષર બનવાની શિખ આપે છે... તો બીજી તરફ રાજવી પોતાની માતાને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવા માટે એક સપનૂ પણ ધરાવે છે. રાજવીએ કનેક ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યૂ કે તે બી.એડ કર્યા બાદ પ્રોફેસર બનવા માંગે છે. જેથી તે સમાજમાં પોતાનૂ યોગદાન પણ આપી શકે અને જે આર્થિક ઉપાર્જન થાઈ તેથી તે પોતાની માતાને આ કાળી મજૂરી માંથી નિવૃર્તિ અપાવી શકે..

તો કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં રાજવીએ જણાવ્યૂ કે તે દરેક જન્મમાં રીટા બહેનના કૂખેથીજ જ્ન્મ લેવાનૂ પસંદ કરશે. કારણકે જે રીતે તેની માતાએ તેમના પતિને ગૂમાવ્યા બાદ ત્રણેય સંતાનોને જે રીતે ભણાવ્યા ગણાવ્યા છે તે બાબત પર તે ખૂબજ ગર્વ અનૂભવે છે.

Latest Stories