પાલીતાણામાં ચૂંટણી સભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

New Update
પાલીતાણામાં ચૂંટણી સભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરુ કર્યો છે, તેઓએ પાલીતાણામાં પણ જંગી ચૂંટણી સભાને સંબોધી હતી.

પાલીતાણામાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યુ હતુ કે આ એક એવી આંધી છે કે જે કોંગ્રેસનાં હાલ બેહાલ કરી નાખશે. ગુજરાતમાં એક પણ મહિનો કોમી હુલ્લડ થયા વગરનો નહોતો જતો, જોકે ભાજપ આવ્યા બાદ હુલ્લડો બંધ થઇ ગયા.

વધુમાં મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વિકાસનાં મુદ્દા પર ભાજપનો મુકાબલો કરવાની હિંમત ખોઈ બેઠી છે.

Latest Stories