પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંઘે પીએમ મોદીનાં આક્ષેપોનો આપ્યો જવાબ

પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંઘે પીએમ મોદીનાં આક્ષેપોનો આપ્યો જવાબ
New Update

પાક અધિકારીઓ સાથે કોંગ્રેસ માંથી હાકી કઢાયેલા નેતા મણિશંકર અય્યરનાં ઘરે મિટીંગ નાં આરોપો પર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘે જવાબ આપ્યો છે.

ડો. મનમોહન સિંઘે કહ્યુ કે ગુજરાતમાં મોદીને હારનો ડર સતાવે છે, જેના કારણે રાજકીય લાભ માટે તેઓ આ પ્રકારનાં આરોપ લગાવી રહ્યા છે. હું આ પ્રકારનાં આરોપ થી દુ:ખી અને વ્યથિત છું.

ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ ગુપ્ત રીતે મણિશંકર ઐય્યરનાં ઘરે પાક હાઇ કમિશનરને મળ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

પૂર્વ પીએમ મનમોહન સિંઘે કહ્યું, દેશના પધ્રાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે આવી તદ્દન ખોટી અને આધારવિહોણી અફવાઓ ફેલાવે છે, તેનાથી હું ખૂબ દુઃખ અને પીડાની લાગણી અનુભવું છું.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article