બનાસકાંઠાના થરાદ સાચોર હાઇવે ઉપર લકઝરી અને જીપ વચ્ચે અકસ્માત, ૩ના મોત

બનાસકાંઠાના થરાદ સાચોર હાઇવે ઉપર લકઝરી અને જીપ વચ્ચે અકસ્માત, ૩ના મોત
New Update

બનાસકાંઠાના થરાદ સંચોર રોડ આવેલ પીલૂડાં ગામ પાસે રાજસ્થાન પાસિંગની લકઝરી બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં ત્રણ ઘાયલ લોકોને સારવાર મળે તેના પહેલા જ તેમના ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

publive-image

જયારે લકઝરી બસમાં બેસેલ અન્ય મુસાફરોને પણ નાની મોટી ઇજાઓ થવા પામી હતી. આ અકસ્માત બાદ લકઝરી બસનો ડ્રાઈવર બસ મુકી ભાગી જવામાં સફળ રહ્યો હતો.આ અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટના ની જાણ થતાં જ પોલિસ પણ દોડી આવી હતી અને અકસ્માતમાં ઘાયલ થયેલ મુસાફરોને સારવાર અર્થે ૧૦૮ મારફત હોસ્પીટલમાં ખસેડયા હતા.

publive-image

Here are a few more articles:
Read the Next Article