ભરૂચ: આહીર સમાજ દ્વારા જૂના તવરા ગામે નવચંડી યજ્ઞનું કરાયું આયોજન

New Update
ભરૂચ: આહીર સમાજ દ્વારા જૂના તવરા ગામે નવચંડી યજ્ઞનું કરાયું આયોજન

ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આહીર સમાજ દ્વારા શરૂ

થયેલ નવું વર્ષ સમાજ માટે ગ્રામજનો માટે સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ લોકો માટે આ

વર્ષ સુખ દાઈ નીવડે દરેકને તેમના ધંધા રોજગારમાં સફળતા પ્રાપ્ત થાય તથા દરેકના

સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ હેતુથી નવચંડી યજ્ઞનું આહીર સમાજ દ્વારા તવરા પાંચ દેવી

મંદિરે આયોજન કરવામાં આવ્યું હતું.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

જેમાં સવારે ૯ કલાકે તવરા આહિર ફળિયામાંથી પાંચ દેવી

મંદિરે સુધી માતાજીની શોભાયાત્રા નીકળી હતી તથા 10:00 કલાકે યજ્ઞનો પ્રારંભ થયો

હતો અને સાંજે 4:00  કલાકે શ્રીફળ હવન અને 6:00

કલાકે મહાપ્રસાદી તથા રાત્રે માતાજીનું જાગરણ ભજન સત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો

હતો.આ પ્રસંગે જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો તથા તવરા ગામના ગ્રામજનો મોટી

સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories