ભરૂચ થી મતદાન જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારી

New Update
ભરૂચ થી મતદાન જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારી

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી સંદિપ સાંગલેએ જનજાગૃતિ અર્થે મતદાન જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ, આ રથ જિલ્લાનાં વિવિધ ગામોમાં ફરીને લોકોને EVM અને VVPAT મશીન અંગેની જાણકારી પણ આપશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને ચૂંટણી પંચ દ્વારા વેગવંતી બનાવવામાં આવી છે, અને મતદાનમાં આ વર્ષે EVM મશીન સાથે VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે, લોકોમાં મતદાન જાગૃતતા અને EVM અને VVPAT મશીનથી માહિતગાર કરવા માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી સંદિપ સાંગલે દ્વારા મતદાન જાગૃતિ રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.

આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી ચૌહાણ, પ્રાંત અધિકારી દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારી દવે , નાયબ કલેકટર યાસ્મીન શેખ સહિત અધિકારી કર્મચારીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

મતદાન જાગૃતિ રથ દ્વારા EVM અને VVPAT સાથે મતદાન કેવી રીતે કરવુ તેની જિલ્લાનાં મતદારોને માહિતી આપીને જાગૃત કરવામાં આવશે.અને મતદાન અંગે જનજાગૃતિ લાવવાનાં પ્રયાસો પણ કરવામાં આવશે.

Latest Stories