ભરૂચ: શુકલતીર્થ ખાતે યોજાયો મેગા લીગલ સર્વિસીસ કેમ્પ

New Update
ભરૂચ: શુકલતીર્થ ખાતે યોજાયો મેગા લીગલ સર્વિસીસ કેમ્પ

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી,નવી દિલ્હીના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચના શુકલ્તીર્થ મુકામે એક મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

આ કેમ્પમાં સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડીયાના માનનીય ન્યાયમુર્તિ એમ.આર-શાહ, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના પેટ્રન ઈન ચીફ વિકમનાથ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના એકઝીક્યુટીવ ચેરમેન એસ બ્રહ્મભટ્ટ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ અને ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસીસ ઓથોરીટીના ચેરમેન શ્રી આર.એમ. છાયા, ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને ભરૂચ જીલ્લાના એડમીનીસ્ટ્રેટીવ જજ એન.વી. અંજારીયા તથા ગુજરાત હાઈકોર્ટના ન્યાયમુર્તિ એ.જે. શાસ્ત્રી હાજર રહયા હતા. આ ઉપરાંત ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી વિમલ કે. વ્યાસ તથા પ્રોજેકટ ઓફીસસો રીતેશ મોઢ અને વૈભવ મોઢેએ પણ હાજર રહી સતત માર્ગદર્શન પૂરૂં પાડયુ હતું.

આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પના ઉપકમે ભરૂચ જીલ્લાના વિવિધ તાલુકાઓના કુલ ૨૮૧૨ જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ખેતીવાડી શાખા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, નાયબ નીયામક અનુસુચિત જાતી કલ્યાણ, પ્રાયોજના વહીવટદારની કચેરી, વિવિધ તાલુકાની મામલતદારે કચેરીઓ, ભરૂચ નગરપાલિકા, પુરવઠા શાખા, તાલુકા હેલ્થ કચેરીઓ વિગેરે અનેક શાખાઓ દ્વારા આ લાભાર્થીઓને જુદી જુદી યોજનાઓ હેઠળ લાભ આપવામાં આવ્યો હતો. આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન લાભાર્થીઓ સ્વાવલંબી બની આત્મગૌરવથી જીવન જીવી શકે તેવા ઉમદા હેતુ માટે કરવામાં આવ્યું હતું.

આ મેગા લીગલ સર્વિસીસ કેમ્પને સફળ બનાવવા માટે ભરૂચ જીલ્લાના કલેકટર ડો. એમ.ડી. મોડીયા તેમજ કલેકટર કચેરી ભરૂચ તથા ભરૂચ જીલ્લાની તમામ વહીવટી શાખાઓના પદાધિકારીઓ, ડી.ડી.ઓ. અરવિંદ વિજયન, પ્રાંત અધિકારી જે.વી. દેસાઈ, જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા સમગ્ર જીલ્લાનો પોલીસ સ્ટાફ, ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફીસર સંજય સોની તથા ભરૂચ નગરપાલિકાના સ્ટાફના સભ્યો, જીલ્લા સરકારી વકીલ પ્રફુલ્લસિંહ એન. પરમાર, પી.ડબ્લ્યુ.ડી. ના ડી.એફ. શાહ, અનિલ વસાવા તથા સાગરભાઈ, પી.ડબ્લ્યુ.ડી. ઈલેકટ્રીક ડીપાર્ટમેન્ટના મયુરીબેન, શુકલતીર્થ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા પ્રજાજનોએ ખુબ મોટો ફાળો આપ્યો હતો.

આ ઉપરાંત ભરૂચ જીલ્લાની તમામ કોર્ટના કર્મચારીઓએ, પેરાલીગલ વોલન્ટરીયર્સે પણ આ કેમ્પને સફળ બનાવવા માટે ખડે પગે ખંતથી સેવા બજાવી હતી.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment
Latest Stories