ભરૂચ : શ્રવણ વિદ્યાધામ ખાતે ઉજવાયો “ઓરેન્જ ડે”

New Update
ભરૂચ : શ્રવણ વિદ્યાધામ ખાતે ઉજવાયો “ઓરેન્જ ડે”

ભરૂચના લિંક રોડ સ્થિત શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે બાળ મંદિર વિભાગના બાળકો તથા શિક્ષક સ્ટાફ પરિવાર દ્વારા “ઓરેન્જ-ડે”ની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે નર્સરી ,શિશુ-૧, શિશુ-૨ના વિધ્યાર્થી બાળકો ઓરેન્જ (કેસરી) કલરની ટી-શર્ટ પહેરી જુદા-જુદા શાકભાજી, ફળ, ફૂલના ચાર્ટ જેવા કે મોસંબી, ગાજર, ગલગોટો તેમજ થર્મોકોલની સિટ ઉપર અવનવી વસ્તુ શણગારીને લાવ્યા હતા.

આ કાર્યક્રમ થકી વિધ્યાર્થી બાળકોને અલગ અલગ રંગની ઓળખ સહિત કેસરી રંગના વસ્તુઓનો ઉપયોગ વિષેની જાણકારી થાય તે હેતુથી “ઓરેન્જ-ડે” કાર્યક્રમ યોજાયો હતો. શ્રવણ વિદ્યાધામના આચાર્ય અને ટ્રસ્ટીગણે બાળકોને વધાવી તેમનો ઉત્સાહ વધારી સૌને બિરદાવ્યા હતા.

Latest Stories