ભરૂચનાં નવચોકી ઓવારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનાં અભાવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

ભરૂચનાં નવચોકી ઓવારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનાં અભાવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
New Update

ભરૂચ નગર પાલિકાનાં વોર્ડ નંબર 11માં આવેલ નવચોકી વિસ્તારમાં આવેલ જમીયત રાવની ખડકી સહિતનાં વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનાં અભાવને કારણે સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર તેમજ રાજકીય નેતાઓનાં પ્રચાર ઉપર પ્રવેશ બંધી અંગેની ચીમકી ઉચ્ચારી હતી.

નવચોકી વિસ્તારનાં સ્થાનિકો દ્વારા જણાવ્યા મુજબ તેઓનાં વિસ્તારમાં વિકાસનાં કામો થતા નથી, સાંકળી ગલીઓ અને ઉભરાતી ગટરો તેમજ ગંદકીનાં કારણે તેઓને રોજિંદા જીવન જીવવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુમાં તેઓનાં જણાવ્યા મુજબ અવાર નવાર પાલિકા તંત્રને રજુઆત કરવા છતાં કોઈ પ્રકારનું તેઓની માંગણીઓ ઉપર તંત્ર ધ્યાન આપતું નથી. જેના કારણે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને ચૂંટણીમાં મતદાન બહિષ્કાર તેમજ રાજકીય પાર્ટીનાં પ્રચાર ઉપર પ્રવેશબંઘી આપતા બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article