/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/983847841-ISROsatelliteslaunch_6.jpg)
ભારત દ્વારા આગામી સપ્તાહે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી 15 ફેબ્રુઆરીના રોજ 104 ઉપગ્રહોનું લોન્ચિંગ કરીને અવકાશ ક્ષેત્રે નવો રેકોર્ડ સ્થાપિત કરશે.
ઈસરોના જણાવ્યા અનુસાર આ ઉપગ્રહોને પૃથ્વી થી 500 કિમી દૂર સૌર-સિંક્રનસ ભ્રમણકક્ષામાં મુકવામાં આવશે. જે પૃથ્વીનું નિરીક્ષણ કરશે.
આ ઉપગ્રહોમાં 3 ભારતના, 88 અમેરિકાના તેમજ અન્ય ઇઝરાયેલ, કઝાકિસ્તાન, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ અને યુનાઇટેડ આરબ અમીરાતના હશે.
કુલ 1500 કિલોના વજન સાથે આ તમામ ઉપગ્રહોને PSLV-C37 દ્વારા અવકાશમાં પ્રસ્થાપિત કરવામા આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ભારતે એક સાથે 20 ઉપગ્રહોને 22 જૂન 2016 નારોજ લોન્ચ કર્યા હતા અને જો ભારત દ્વારા આ 104 સેટેલાઈટને સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવશે તો તે અવકાશ ક્ષેત્રે પોતાનો એક નવો કીર્તિમાન સ્થાપિત કરશે.