/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/fgdg.jpg)
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ નજીક એક ખેતરમાં પાણીની ટાંકીમાં અજગરના ૯ જેટલા બચ્ચા જોવા મળતાં ખેડૂતે વન વિભાગ ને જાણ કરી હતી. ભરૂચના વન અધિકારી આર.બી.પટેલ,ઝઘડીયાના રેન્જ ઓફિસર તડવી અને રાજપારડીના વન અધિકારી મહેશ વસાવાના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમના કમલેશ વસાવા અને રવિન્દ્ર વસાવા ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. ટાંકીમાંથી મળી આવેલા બચ્ચા ૩ થી ૪ ફુટ લંબાઈ ધરાવતા અને એક મહિનાની ઉંમરના છે.
#ભરૂચ
— ConnectGujarat (@ConnectGujarat) September 18, 2019
ભાલોદ ગામના કપાસના ખેતરમાં આવેલ પાણીની ટાંકીમાંથી અજગરના 9 બચ્ચાઓ મળી આવ્યા
ઝઘડીયા વનવિભાગ તેમજ સેવ એનિમલ ટીમના સભ્યોએ અજગરના બચ્ચાઓને સુરક્ષીત રીતે પક્ડયા.અજગરના બચ્ચાઓને જંગલ વિસ્તારમાં સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.#CGNews#ConnectGujarat#BeyondJustNewspic.twitter.com/FMyvcUxPuK
આ અજગરના બચ્ચાઓને પાણી અને ખોરાક ની સગવડ મળે તેવા સલામત વન વિસ્તારમાં છોડી દેવાની તજવીજ વન વિભાગે હાથ ધરી છે.