ભાવનગર- અમદાવાદ હાઈવે ઉપર જુદા જુદા બે અકસ્માતમાં 4 લોકોનાં મોત

ભાવનગર- અમદાવાદ હાઈવે ઉપર જુદા જુદા બે અકસ્માતમાં 4 લોકોનાં મોત
New Update

ભાવનગર-અમદાવાદ હાઈવે ફરીથી એક વખત રક્ત રંજીત બન્યો છે. આ રોડ ઉપર અધેલાઇ ચોકડી નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં સર્જાતાં 3 લોકોનાં મોત નીપજયા હતા. જયારે 8 થી વધુ લોકોને ઇજા પહોંચી છે. અન્ય એક અકસ્માતનાં બનાવમાં સિહોર નજીક મેજીકે બાઇકને અડફેટે લેતાં બાઈક સવારો પેકી એકને ઇજા પહોંચતા મોત નીપજયું હતુ. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો હતો.

publive-image

ધેલાઇ નજીક બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના અકરમભાઇ યુનુસભાઇ કુરેશી અને સુરતના સુધીરકુમાર પ્રભાશંકર યાદવ તથા વાઘેલા હરીભાઇ નારાયણભાઇના મોત નીપજયા હતા. જયારે આ ઘટનામાં 8 થી વધુ લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બીજા બનાવમાં સિહોરમાં કાલીમા મિલમાં કામ કરતા ગણેશ હીરાભાઇ નિશાદ મૂળ રહે ઉત્તર પ્રદેશનાં તથા જયપ્રકાશ જેઓ બાઇક નં. GJ 04 AN 1540 લઈને જઈ રહ્ય હતા. તે દરમિયયાન મેઝીક નંબર GJ 07 VV 7372 ના ચાલકે બાઇકને અડફેટે લેતાં ગણેશભાઇને ગંભીર ઇજા થતાં મોત નીપજયું હતુ. આ બનાવ અંગે રામચંદભાઇ મોતીભાઇ નિશાદે મેઝીક ચાલક વિરુધ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article