ભાવનગર : ગણેશજીની સ્થાપનાના અંતિમ દિવસે કિન્નર સમાજ દ્વારા કરાઇ શ્રીજીની આરતી

New Update
ભાવનગર : ગણેશજીની સ્થાપનાના અંતિમ દિવસે કિન્નર સમાજ દ્વારા કરાઇ શ્રીજીની આરતી

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાદરવા મહિનાની ચોથના દિવસે વિધ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ૧૧ દિવસ સુધી ગણપતિ દેવની આરતી ગુણગાન અને ભક્તિ કરવામાં આવે છે.

ભાવનગરમાં વિર માંધાતા સંગઠન દ્વારા સાત વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર વિર માંધાતા કોળી સંગઠન દ્વારા શહેરના પાનવાડી ચોક ખાતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનના અધ્યક્ષ રાજુ સોલંકીના એક નવી વિચાર ધારાએ ગુજરાતમાં ભાવનગરનું નામ રોશન થાય તેવું કાર્ય કર્યું છે.

જ્યારે આજે ગણેશજી વિદાય લઈ રહ્યા છે, ત્યારે ગણેશજીની સ્થાપનાના અંતિમ દિવસની સંધ્યાએ કિન્નર સમાજ દ્વારા ભગવાન ગણેશજીની આરતી ઉતારવાંમાં આવી હતી. આમ તો કિન્નર સમાજ બહુચરાજી માતાના ઉપાસક હોય છે, પરંતુ ગણેશ ઉત્સવ દરમ્યાન થતાં ભવ્ય આયોજનમાં ભગવાન ગણેશજીની આરતી ઉતારી આશિર્વાદ મળે અને જે વિચારધારા આજ સુધી કોઇએ ન અપનાવી હોય તેમ આયોજન કરવામાં આવતા કિન્નર સમાજે વિર માંધાતા કોળી સંગઠનનો આભાર માન્યો હતો.

Read the Next Article

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

New Update
વરસાદ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે.

તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારી, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.