ભાવનગર જિલ્લામા આજે ૬૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, ૫૦ દર્દીઓ થયા સ્વસ્થ

New Update
ભાવનગર જિલ્લામા આજે ૬૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, ૫૦ દર્દીઓ થયા સ્વસ્થ

ભાવનગર જિલ્લામા આજ રોજ ૬૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામા કુલ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૨,૬૬૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૭ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૩૭ કેસો નોંધાયા છે. જ્યારે ભાવનગર તાલુકાના સોડવદરા ગામ ખાતે ૧, અધેવાડા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૨, સાણોદર ગામ ખાતે ૧, ઘોઘા ખાતે ૧, ધરાઈ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, દુધાળા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૫, અગિયાળી ગામ ખાતે ૧, ભદ્રાવળ ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, સાથરા ગામ ખાતે ૧, ત્રાપજ ગામ ખાતે ૩, ટીંબી ગામ ખાતે ૪, ચોગઠ ગામ ખાતે ૧, મેલાણા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૨૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૯ અને તાલુકાઓના ૨૧ એમ કુલ ૫૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા ૨,૬૬૯ કેસ પૈકી હાલ ૫૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૨,૦૯૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Latest Stories