ભ્રષ્ટાચારી કોંગ્રેસ હવે બેકાર થઈ ગયી છે: રૂપાણી

ભ્રષ્ટાચારી કોંગ્રેસ હવે બેકાર થઈ ગયી છે: રૂપાણી
New Update

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી મોંઘવારી મુદ્દે ભાજપ પર કરેલ પ્રહાર મુદે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સરકાર આવ્યા બાદ ભ્રષ્ટાચાર અટકી ગયો છે અને ભ્રષ્ટચારી કોંગ્રેસ હવે બેકાર થઈ ગયી છે, એટલે રાહુલ ને બેકારી યાદ આવે છે સાથે જ રાજકીય રીતે પણ કોંગ્રેસ બેકાર થઈ ગયી છે.

ભારતમાં 14 વર્ષથી સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત બન્યું છે જેમાં છેલ્લા વર્ષે દેશમાં ગુજરાત એ 83 ટકા રોજગારી આપી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે રાજ્યમાં 30 લાખ લોકો બેરોજગાર છે જેને સાબિત કરી બતાવવા મુખ્યમંત્રી એ કોંગ્રેસ ને ચેલેન્જ આપી છે અને જુઠાણું ફેલાવવાનું બંધ કરે તેવી સલાહ પણ આપી હતી.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article