મુંબઈમાં કમલા મીલ કંપાઉન્ડ  લોઅર પરેલ વિસ્તારમાં પબમાં લાગી આગ,14 જીવતા ભુંજાયા

મુંબઈમાં કમલા મીલ કંપાઉન્ડ  લોઅર પરેલ વિસ્તારમાં પબમાં લાગી આગ,14 જીવતા ભુંજાયા
New Update

મુંબઈમાં કમલા મીલ કંપાઉન્ડ લોઅર પરેલ વિસ્તારમાં તારીખ 28મીની મોડી રાતે પબમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 14 લોકોનાં મોત થયા છે અને 14થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેમને તાત્કાલિક સારવાર માટે એડવર્ડ મેમોરિયલ અને કેઈએમ હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે.

publive-image

રાતે સાડા બાર વાગ્યે આ આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડને જાણવા મળ્યુ હતુ. એટલુ જ નહી પરંતુ જે પબમાં આગ લાગી છે એ લાયસન્સ વગર ચાલતુ હતુ.

આ અકસ્માતમાં મરનારામાં 12 મહિલાઓ અને 2 પુરૂષ સામેલ છે. મોજો ટેરેસ રેસ્ટોરેન્ટના કર્મચારીઓ જ આગમાં હોમાયા હોવાની સંભાવના સેવાઈ રહી છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article