ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૃપાણી રાજકોટ પશ્ચિમની બેઠક પરથી સોમવારે બપોર 12.39 મિનિટે વિજય મુહર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. તેમની સાથે રાજકોટનાં અન્ય ત્રણ ઉમેદવારો પણ ફોર્મ ભરવા જશે. આ પ્રસંગે ભાજપનાં ચૂંટણી પ્રભારી અને નાણાંમંત્રી અરૃણ જેટલી પણ ખાસ હાજર રહેવાના છે.
સોમવારે સવારે 10.30 વાગ્યે રાજકોટમાં સરદાર પટેલની પ્રતિમા પાસે વિવિધ કાર્યક્રમો યોજાશે. સરદાર પટેલને પગે લાગીને મુખ્યમંત્રી નામાંકન પત્ર ભરવા સરઘસ આકારે રવાના થશે. જો કે એ પહેલા તેઓ એકત્ર થયેલા જન સમૂદાયને સંબોધશે. આ પ્રસંગે નાસિકનું ખાસ બેન્ડ પણ મંગાવાયુ છે. 60 થી 70 કલાકારોની આ બેન્ડની ટીમ કર્ણપ્ય મનોરંજન કરશે.
સરદાર પટેલની પ્રતિમાની આસપાસનાં વિસ્તારને શણગારી દેવાયો છે. તરણેતર મેળાનાં કલાકારો મુખ્યમંત્રી સહિતનાં ચારેય ઉમેદવારોનાં ફોર્મ ભરાવવાના સમયે પરંપરાગત વેશભૂષા અને ભાતીગળ છત્રી સાથે હાજર રહેશે.