વડોદરામાં યોગી ડીવાઈન સોસાયટી સોખડામાં અંબરીશ કાર્યકરોનાં દર રવિવારે યોજાતી શિબિરમાં હાજરી આપીને મુખ્યમંત્રી વિજય રૂપાણી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓનાં રૂટ પર જ એક ઝાડ પર યુવાનનો મૃતદેહ લટકતો હતો.સોખડા રોડ પર સનરાઈઝ સ્કૂલની સામે એક ઝાડ પર યુવકની લાશ લટકતી હતી. આ મુખ્યમંત્રી નો રૂટ હતો, જેથી પોલીસ બંદોબસ્ત તો ભરપૂર હતો પણ પોલીસ દ્વારા પણ યુવકનાં મૃતદેહને અણદેખો કર્યો હોવાની ચર્ચા લોકમુખે ચર્ચાય રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાફલો આજ રૂટ પરથી પસાર થયો હતો. પરંતુ કોઈ પોલીસકર્મીએ ઝાડ પર લટકેલા મૃતદેહને ઉતારવાની તસ્દી લીધી ન હતી. બીજી તરફ સ્થાનિક પોલીસ મથકમાં પણ આ અંગે કોઈ જાણકારી નહોવાનું મિડીયાને જાણવા મળ્યુ હતુ.