ગાંધીનગર ખાતે ગુજરાત સરકારનો શપથ વિધિ સમારોહ યોજાવવાનો છે. જેને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ થઇ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ સહિત તેમનું મંત્રીમંડળ શપથ ગ્રહણ કરશે.
ગાંધીનગર ખાતે યોજાનાર શપથ વિધિમાં ભાગ લેવા રાજકોટ શહેર ભાજપનાં 4000 થી પણ વધુ કાર્યકર્તાઓ ગાંધીનગર જવા રવાના થયા છે. ગાંધીનગર ખાતે યોજાનાર શપથ સમારોહમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી તેમજ ભાજપનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે.