રાજકોટમા પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંઘી પર કર્યા આકરા પ્રહાર

New Update
રાજકોટમા પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંઘી પર કર્યા આકરા પ્રહાર

ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં મહા જનસંપર્ક અભિયાન શરુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે રાજકોટમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અભિયાનમાં જોડાયા હતા અને રાજકોટ પશ્ચિમ અને દક્ષીણ બેઠકના વિસ્તારોમાં ઘરે ઘરે જઇ લોકોને મળ્યા હતા.

પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે બીજેપી લોકોના દિલમાં છે અને આ ચુંટણીમાં ભાજપ ને ખુબ સારી રીતે જીત મેળવશે. તેમને રાહુલ ગાંધી પર પ્રહારો કરતા જણાવ્યું હતુ કે ભાજપના નેતાઓ ઘરે ઘરે જાય છે, ભાજપ ઘરે ઘરે નર્મદાનું પાણી લાવ્યા તો કોંગ્રેસે તેને રોકવાનું કામ કર્યું, કોંગ્રેસે ગુજર્તનો વિકાસ રોક્યો છે તેમ જણાવી શાબ્દિક પ્રહારો કાર્ય હતા.

તો બીજી તરફ આજે રાજકોટમાં કોંગ્રેસના શ્યામ પિત્રોડાની પત્રકાર પરિષદમાં ભાજપ પર લગાવેલા આરોપો પર પણ પ્રકાશ જાવડેકરે જવાબ આપ્યા હતા.

Latest Stories