રાજનાથ સિંહની બે દિવસીય દીવની મુલાકાતે 

રાજનાથ સિંહની બે દિવસીય દીવની મુલાકાતે 
New Update

બીજેપીના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ સંઘપ્રદેશ દીવની મુલાકાતે આવી રહયા છે. રાજનાથ સિંહની બે દિવસીય દીવની મુલાકાતને લઇ દીવના વણાંકબારામાં તડામાર ત્યારી કરવામાં આવી રહી છે.

21 એપ્રિલે સવારે 9:30 કલાકે વણાંકબારા ખાતે માછીમારો રાજનાથ સિંહનું ભવ્ય સ્વાગત કરશે.રાજનાથ સિંહ 21 એપ્રિલે વિશાળ સભાને સંબોધશે અને દીવ જાલંધર ખાતે કરોડોના ખર્ચે આકાર પામવા જઇ રહેલા બે સરકારી સર્કિટ હાઉસના ખાતમૂહુર્ત કરશે.

દીવના ઘોઘલા ગામ ખાતે બે સરકારી સ્કૂલોનું ખાત મુહૂર્ત કરશે.આ સમારોહમાં લગભગ 10 હજાર લોકો ઉપસ્થિત રહેશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article