રાજસ્થાનમાં બસ દુર્ઘટનામાં 20 થી વધુનાં મોતની આશંકા 

New Update
રાજસ્થાનમાં બસ દુર્ઘટનામાં 20 થી વધુનાં મોતની આશંકા 

રાજસ્થાનનાં સવાઇ માધોપુરનાં નજીક શનિવારે સવારે બનાસ નદીનાં પુલ પરથી બસ પલટી મારીને નદીમાં ખાબકી હતી. જેના કારણે બસમાં સવાર 20 થી વધુ લોકોનાં મોત થયા છે. ઘટનામાં 24 લોકો ઘાયલ થયા છે.

રાજસ્થાનનાં સવાઈ માધોપુર નજીક થી મુસાફરો ભરેલી બસ બનાસ નદીનાં પુલ પરથી પસાર થઇ રહી હતી,તે દરમિયાન બસે પલટી મારતા બસ નદીનાં પાણીમાં ખાબકી હતી.

સર્જાયેલી દુર્ઘટનામાં 20 થી વધુ લોકોનાં મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે 24 લોકો ઘાયલ થયા છે.

ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે,અને પોલીસે તપાસ પણ શરુ કરી છે.

Latest Stories