રાજ્ય સરકારે ચીપ્યો IAS અધિકારીઓની બદલીનો ગંજીપો!!! 

રાજ્ય સરકારે ચીપ્યો IAS અધિકારીઓની બદલીનો ગંજીપો!!! 
New Update

IAS અધિકારીઓની બદલીમાં અમદાવાદ મ્યુનિ. કમિશનર તરીકે વિજય નહેરા, વડોદરામાં મ્યુનિ. કમિ. અજય ભાદુ

રાજ્ય સરકારે વરિષ્ઠ આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપ્યો છે. આ બદલીઓમાં સૌથી મહત્વની બદલી અમદાવાદ શહેર માટે જોઈએ તો મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની જગ્યાએ અમદાવાદમાં કલેક્ટર રહી ચૂકેલા આઇએએસ અધિકારી વિજય નહેરાને મૂકવામાં આવ્યા છે. જ્યારે વડોદરા કલેક્ટર તરીકે મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અજય ભાદુને મૂકવામાં આવ્યા છે. નેહરા વિદેશમાં તાલીમ પામીને પાછા આવતાં તેમને અમદાવાદ મ્યુનિ. કમિશનર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

વડોદરા મ્યુનિ. કમિશનર વિનોદ રાવને ખસેડીને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ સાથેના ખટરાગના કારણે રાવને ખસેડવામાં આવ્યા હોવાની ચર્ચા સચિવાલયમાં સાંભળવા મળી હતી.

અન્ય વરિષ્ઠ અધિકારીઓની બદલીઓમાં ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. એસ. ડાગુરને ભરૂચ ખાતેની જીએનએફસીમાં એમડી તરીકે મુકાયા છે. જીએનએફસીના એમડી તરીકે કાર્યરત ડો. રાજીવ કુમાર ગુપ્તાને ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે.

Here are a few more articles:
Read the Next Article