રાહુલ ગાંધીને GSTનો અભ્યાસ નથી, અરુણ જેટલી

રાહુલ ગાંધીને GSTનો અભ્યાસ નથી, અરુણ જેટલી
New Update

અમદાવાદ ખાતે કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ હતુ.

કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ પત્રકાર પરિષદમાં તેઓએ નોટબંધી, GSTને મહત્વનાં નિર્ણયો ગણાવ્યા હતા. વધુમાં તેઓએ ગુજરાતનો એજન્ડા વિકાસનો છે, ગુજરાતે દેશને મોટું નેતૃત્વ આપ્યુ છે, અને કોંગ્રેસ પર નિશાન સાધીને જણાવ્યુ હતુ કે વિકાસને નીચો બતાવવા જાતિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં GST અંગેની રાહુલ ગાંધીનાં નિવેદન સંદર્ભે જેટલીએ જણાવ્યું હતુ કે રાહુલ ગાંધીને GSTનો અભ્યાસ નથી, અને કોંગ્રેસનાં સમયમાં કોઇ મોટુ પગલુ ભરવામાં આવ્યું નથી. કોગ્રેસે ચૂંટણી સમયે સમાજમાં જાતિવાદનું ઝેર ફેલાવી રહી હોવાના આક્ષેપો પણ તેઓએ કર્યા હતા.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article